આંદોલકારીઓ સાથે બેઠક કરવામાં રાજકીય પક્ષોની દોટ.
AndolanNews: વિધાનસભા 2017 ની ચૂંટણીએ ગુજરાતમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે અને આંદોલકારીઓની મોસમ આવી હોય એવું લાગી રહ્યું છે.
આંદોલકારીઓને પોતાના પક્ષમાં સમાવવા તમામ રાજકીય પક્ષોએ દોટ મૂકી છે ત્યારે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી ને મનાવવામાં કોંગ્રેસ સફળ રહી છે ત્યારે પ્રવિણ રામએ પોતાના પક્ષમાં સમાવવા તમામ પક્ષોએ એમની સાથે બેઠકો ના દોર શરૂ કરી દીધા છે કારણ કે પ્રવિણ રામ એ તમામ સમાજ માટે સ્વીકાર્ય અને નિર્વિવાદિત છે તેમજ તેમની લડતના કારણે તમામ સમાજને અને ખાસ કરીને ઓબીસી, એસસી અને એસટી સમાજને વધારે ફાયદો થયો છે ત્યારે આ રેસ માં અરવિંદ કેજરીવાલ પણ પાછળ રહ્યા નથી. અરવિંદ કેજરીવાલ પણ પ્રવિણ રામ અને એમની ટીમ સાથે બેઠક કરી શુકયા છે અને એમનો આ ફોટો પણ સોસિયલ મીડિયામાં વાયરલ થઈ ચુક્યો છે.
ત્યારે આ બાબતે પ્રવિણ રામને પુછવામાં આવતા મુદાલક્ષી ચર્ચા થઈ હતી એવું જણાવવામાં આવ્યું હતું પરંતુ આમ છતાં આ યુવા નેતા કઇ પાર્ટી ને સમર્થન આપશે એ તો સમય જ બતાવશે.
Post a Comment