જમ્મુ કશ્મીરમાં મોટા આંતકી હુમલામાં અનેક સૈનિકો એ શહાદત આપી છે અને હજુ ઘણા બધા સૈનિકો સારવાર હેઠળ છે ત્યારે સમગ્ર ભારતવાસીઓ આ આંતકવાદી હુમલાની કડી નિંદા કરી રહ્યા છે અને આ હુમલાનો તુરંત જવાબ આપવામાં એવી માંગ કરી રહ્યા છે ત્યારે આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા ટ્વિટ કરીને શહીદોની શહાદત ને નમન કરી એમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલ થયેલા સૈનિકો સ્વસ્થ થાઈ એવી પ્રાર્થના પણ કરી હતી તેમજ તેમણે પ્રતિક્રિયા આપી હતી કે આવા સમયે તમામ રાજકીય પક્ષો એક બીજા પર આક્ષેપબાજી કરવાની જગ્યાએ એક થઈ આંતકવાદને જવાબ આપે કારણકે આવા સમયે દેશને એક થવાની જરૂરિયાત છે, શહીદોના પરિવારને અને દેશને સહાનુભૂતિની અને શહીદોની શ્રદ્ધાંજલિ માટે બદલાની જરૂરિયાત છે.
જમ્મુ કશ્મીરના હુમલા બાદ દેશને આંતકવાદ વિરુદ્ધમાં એક થવાની જરૂરિયાત, રાજકીય આક્ષેપબાજીઓની નહીં : પ્રવિણ રામ
: send direct message to facebook :
Post a Comment